Home > ઋષિ ચિંતન > સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ

સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ

સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ 

આપણા કરતાં વધુ સુખી, વધુ સાધનસંપન્ન, વધુ ઊંચી સ્થિતિના લોકો સાથે આપણી સરખામની કરવામાં આવે તો લાગશે કે તમામ અભાવો આપણા ભાગે જ આવ્યા છે, પરંતુ એવા અસંખ્ય દીનહીન -પીડિતો, પરેશાન લોકો સાથે આપણી તુલના કરીએ તો આપણા સૌભાગ્યની પ્રશંસા કરવાની ઇચ્છા થશે.   તૃષ્ણાનો કોઇ અંત નથી.  એક એકથી ચડિયાતી અને એક એકથી સુંદર ચીજો આ દુનિયામાં મોજુદ છે.  એ ક્ર્મનો કોઇ અંત નથી.  આજે આપણે જે કાંઇ ઇચ્છીએ છીએ તે મળી જતાં કાલે વધુ સુંદરનો મોહ વધશે.  વધારેનો કયાંય અંત નથી.  આજે આપણે જે કાંઈ ઇચ્છીએ છીએ તે મળી જતાં નથી. આ કુચક્રમાં ફસાવાથી હંમેશાં તીવ્ર અંસંતોષ જ રહેશે.  એટલા માટે  જો ચીત્તનું સમાધાન કરવું હોય તો કયાંક ને કયાંક પહોચીને સંતોષ લેવો પડશે.  જો તે સંતોષ આજે જ, વર્તમાન સ્થિતિમાં જ મેળવી લેવામાં આવે, તો તૃપ્તિ, પૂર્ણતા અને સંતોષના રસાસ્વાદનો આનંદ આજે જ મળી શકે છે.  તેના માટે એક ક્ષણનીય પ્રતીક્ષા કરવી પડશે નહિ.  સુખ અને દુ:ખ કોઈ પરિસ્થિતિનું નામ નથી, પરંતુ ભાવનાઓ અને માન્યતાઓથી થાય છે.  એટલા માટે સુખ-શાંતિની પરિસ્થિતિ શોધતા ફરવાને બદલે પોતાના દૅષ્ટિકોણને જ પરિમાર્જિત કરવાનો પ્રયત્ન કરીએ એ જ યોગ્ય છે.  પ્રયત્નમાં આપણે જેટલા સફળ થઈશું, એટલા જ શાંતિની નજીક પહોંચી જઈશું.

 

 

 

અખંડજ્યોતિ, જૂન-1958, પેજ-34

 

  1. June 30, 2008 at 5:28 AM | #1

    જીવનમાં પણ જો સાપેક્ષવાદ અપનાવાય તો આ અસંતોષ ન રહે
    તમે બુટ ને રડો છો માણસો પાસે પગ નથી હોતા

  1. No trackbacks yet.