સુવિચાર :
આત્મવિશ્વાસ અને ભવિષ્ય
પ્રત્યે અતૂટ આશા એ બે સાધનો છે,
જેમની મદદથી મનુષ્ય સંકટોના પડકારોને
ઉજ્જ્વળ ભવિષ્યમાં બદલી શકે છે.
—————-
જીવન એક એવો સુયોગ છે, જેનો પરિપૂર્ણ લાભ ઉઠાવો.
જીવન એક સ્વપ્ન છે, જેને સાકાર કરી બતાવો.
જીવન એક આનંદ છે, જેનો આનંદ લઈ બીજાઓને વહેચો
જીવન એક પડકાર છે, જેનો સામનો કરો.
જીવન એક સંઘર્ષ છે, જેની સાથે બહાદુરીપૂર્વક લડો.
જીવન એક કર્તવ્ય છે, જેને પૂર્ણપણે નિભાવો.
જીવન એક રમત છે, જેને ખેલાડીની ભાવનાથી રમો.
જીવન એક ગીત છે, જેને તન્મયતાથી ગાઓ અને સાંભળો.
જીવન એક વરદાન છે, જેનો હળીમળીને ઉપયોગ કરો.
જીવન એક રહસ્ય છે, જેને ખોલી બતાવો.
જીવન એક યાત્રા છે, જેના પર સતત ચાલી લક્ષ્ય સુધી પહોંચો.
————–
જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ
તેમ તેમ ઉદારતા વધતી જાય છે.












RSS - Posts
પ્રતિભાવો