Archive

Archive for October 1, 2008

પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં :

પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં : 

        આત્મનિર્માણ યશની કામનાથી જુદી વસ્તુ છે. પોતાના સદ્દગુણોને લીધે પ્રતિષ્ઠા મેળવવી પોતાના ઉચ્ચ ચરિત્ર, આદર્શ જીવન, પરોપકાર સાધના તથા લોકસેવા દ્વારા યશ પ્રાપ્ત કરવાની આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે અને અંતરાત્મામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની અભિવૃદ્ધિ થાય છે. આ પ્રોત્સાહનથી, સફળતાથી મનોબળ વધે છે અને આગળ ઉપર વધુ ઉત્સાહથી આવાં પુણ્ય કાર્ય, સતોગુણી આચરણ કરવાની ઈચ્છા થાય છે, જે પોતાનો આ જન્મ તથા મૃત્યું સુધારવા અને પુણ્ય ભેગું કરવા માટે જરૂરી છે.

        આત્મગૌરવ, આત્મસન્માન, આત્મકલ્યાણ, આત્માઆનંદ, આત્મપ્રતિષ્ઠા, આત્મસંતોષ પ્રાપ્ત કરવાથી મનુષ્યનો અંતરાઆત્મા સંતુષ્ટ થાય છે. આથી તેના માટે પ્રયત્ન કરવો એ દરેક પ્રકારથી ઉચિત અને જરૂરી છે. સ્વર્ગ, મુક્તિ, આત્મસન્માન, અથવા યશના નિમિત્તે પણ આ સદ્દવિચારો અને સત્ કર્મોનું આયોજન થાય તો આ સાત્વિક અભિલાષા એક પ્રશંસનિય પ્રક્રિયા બનશે. આ યશની કામના નહીં પરંતુ આત્માનો સંતોષ છે. આ નિંદા કરવા યોગ્ય નહીં પરંતુ આવકારવાદાયક છે.

માનસિક ચિંતાઓ :

માનસિક ચિંતાઓ :

આનો જન્મ ઘણા વિચાર કરવાથી થાય છે. કેટલીક વ્યક્તિઓ એટલા સંવેદનશીલ હોય છે કે તે નાનો સરખો માનસિક આઘાત પણ સહન કરી શકતા નથી. ટીકા, ટિપ્પણ, મશ્કરી, આલોચના અથવા પોતાના માટે થતી વાતો સાંભળીને ઉશ્કેરાઈ જાય છે. કોઈ વળી દિવસ રાત નિરાશાના તાણાવાણા ગૂથયા કરે છે. ક્યાંક અસફળતા મળી તો તેને માટે ચિંતા કર્યા કરે છે. ભવિષ્યમાં શું થશે? અમારી નોકરી રહેશે કે છૂટી જશે? બાળકોનું ભણતર કેવું ચાલશે? છોકરીઓનાં લગ્ન કેવી રીતે થશે? બજારમાં વસ્તુઓ મોંઘી છે, તો પરિપૂર્તિ કેવી રીતે થશે? આ ચિંતાઓથી ગ્રસ્ત રહેવાવાળા વ્યક્તિએ જાણવું જોઈએ કે પરમેશ્વરના હાથ એટલા લાંબા છે કે તે આ બધાં કાર્યોને પૂરા કરવાના જરૂરી ઉપાયો શોધી કાઢશે.

આપણે અસફળતા, નિરાસા, કમજોરીનો અનુભવ કરવો ન જોઈએ. ભવિષ્ય ઉજ્જવળ છે. ત્યાં સુધીમાં આપણી શક્તિઓ પણ એટલી બધી વધી જશે કે આપણે સૌ તે વધેલી જવાબદારીઓને પૂરી કરી શકીશું. જો આપણી જવાબદારીઓ વધરી જશે તો સાથે સાથે આપણી શક્તિઓ, યોગ્યતા, જમા ધનરાશિ, સમાજમાં માનપાન પણ વધતું રહેશે. આપણી માનસિક બૌદ્ધિક સંપદાઓ પણ નિરતર વધવા લાગશે. આપણા મિત્રો, સગાસંબંધીઓ પણ આપણી સહાયતા કરવા તૈયાર છે. એટલા માટે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ફિકર શાની કરવી, આવવાવાળો સમય આપણા માટે ઉજ્જવળ હશે.

આપણાં બાળકો મોટાં થઈને એ સ્થિતિમાં પહોંચી જશે કે આપણું ભરણ પોષણ કરી શકશે. ચિંતા ન કરો, ઠંડા દિલથી પ્રત્યેક મુશ્કેલીઓ પ્રત્યે વિચારો. સમસ્યાઓને હલ કરવાનો કોઈ રસ્તો શોધો. શ્રમ કરો, ચિંતા કરવાથી શું મળશે? જો તમે પોતે વિચારી નથી શકતા તો મિત્રોની, પત્નીની, અધ્યાપકની અથવા પછી કોઈ વિશેષજ્ઞની સલાહ લો. બીજાનેં તમારી મુશ્કેલી ઉકેલવાનો અવસર આપો.

કોઈ એવી વિકટ સ્થિતિ નથી હોતી કે જેને ઉકેલી ન શકાય. થોડો જ વિચાર કરવાથી કોઈને કોઈ ઉપાય જરૂર મળી આવશે જેનાથી પરિસ્થિતિને સંભાળી શકાય.

વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ :

વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ :

        જીવનનો ઉદ્દેશ્ય રૂપિયા પૈસા પેદા કરવાનો નથી. ઘાંચીના બળદની જેમ દિવસ રાત રૂપિયા પૈસા ભેગા કરવામાં લાગ્યા રહેવું, જીવનનું અંતિમ લક્ષ્ય નથી. જેના માટે તમે આટલો પરિશ્રમ કરો છો એ ચીજો તો સૂવર અને કુતરાની યોનિમાં પણ મળે છે. તવંગરના કૂતરા પણ મોટરોમાં મહાલતા હોય છે. દૂધ જલેબી ખાતા હોય છે. પોતાની કુતરી સાથે તે કામનાની સિદ્ધિનો આનંદ પણ મેળવે છે પરંતુ તેને સાચું સુખ પ્રાપ્ત થતું નથી.

        સાચું સુખ તો ભગવાનની પ્રાપ્તિમાં જ છે. આ સંસારી સુખ તો ઈચ્છા ન કરવા છતાં પણ મળી જશે કારણ કે તે તો નસીબ પર નિર્ભર છે. તમે તમારા પરિશ્રમ વડે પેટને પોષો છો. લખપતિ, કરોડપતિ થવું તે તો નસીબનો ખેલ છે, જેમ કોઈ દુ:ખની ઈચ્છા નથી કરતું.

         કોણ ઈચ્છે છે કે તે બીમાર પડે ? પોતાના ઘરની વ્યક્તિનું મૃત્યું થાય? વેપારી નથી ઈચ્છતો કે તેને નુકશાન થાય. પરંતુ ઈચ્છા ન કરવા છતાં રોગ, શોક, નુકસાની વગેરે આવે છે, ઈચ્છા ન કરવા છતાં આ વસ્તુઓ નસીબ પ્રમાણે મળે છે.

        તે જ રીતે સંસારના ભોગો પણ મળશે. તેની જ પ્રાપ્તિ માટે રાતદિવસ મચી પડવું, આને પુરુષાર્થ ન કહેવાય. અરે, પુરુષાર્થ તો એ છે કે આ નશ્વર શરીર દ્વારા શાશ્વત ભગવાનને પ્રાપ્ત કરી લઈએ. આ વિનાશી શરીર દ્વારા અવિનાસી ભગવાનની પ્રાપ્તિ કરીએ.

પરિવર્તન જ જીવન :

પરિવર્તન જ જીવન :

જીવનમાં દરરોજ બે રંગવાળી ઘટનાઓ બનતી રહે છે.

આજે લાભ છે તો કાલે નુકસાન.

આજે બળવાન તો કાલે બીમાર,

આજે સફળતા તો કાલે અસફળતા.

દિવસ રાતના ચક્ર જેવું જ સુખદુ:ખનું,

આબાદ-બરબાદી, ચડતી-પડતીનાં ચક્રો ઘૂમતાં જ રહે છે.

તે તો શક્ય જ નથી કે કાયમ માટે એક જ સ્થિતિ રહે.

જે નિર્માણ પામ્યું છે તે નાશ પામવાનું છે,

જે બગડેલું છે તે સુધારવાનું છે.

શ્વાસોનું આવવું જવું જ જીવન છે.

શ્વાસ ચાલતો બંધ થઈ જાય તો જીવન પણ પૂરું થઈ જશે.

કાયમ એક જ પરિસ્થિતિ રહે,

પરિવર્તન બંધ થઈ જાય તો સંસારનો ખેલ જ પૂરો થઈ જશે.

એકના લાભમાં બીજાને નુકશાન અને એકના નુકશાનમાં બીજાને લાભ.

એક શરીરનું મૃત્યું જ બીજા શરીરનો જન્મ છે.

આ ખારું અને ગળ્યું, નુકશાન અને લાભ આ બંને પ્રકારના સ્વાદ

ઈશ્વર દ્વારા એટલા માટે બનાવવામાં આવ્યા છે,

જેથી મનુષ્યને બંનેના અંતર અને મહત્વ સમજ પડે.

આત્મસ્થિત મનુષ્ય :

આત્મસ્થિત મનુષ્ય  :

        આત્મસ્થિત મનુષ્યનું મર્મસ્થળ સ્વસ્થ હોવાથી તે સદા પ્રસન્ન રહે છે. તેના ચહેરા પર ખુશી નાચતી હોય છે. ચહેરો કાયમ હસતો, મુસકુરાતો, ખીલેલો દેખાય છે. તેની વાણીમાંથી મધ ટપકે છે અને બોલે ત્યારે ફુલ ઝરતાં લાગે છે. સ્નેહ, નમ્રતા, આત્મીયતા, સૌજન્ય અને પરોપકારનું મિશ્રણ એકરસતા થવાથી તેની વાણી ઘણી જ સરળ અનેમનને વશ કરનારી બને છે.

        સ્વસ્થ આત્મામાં સ્થિત વ્યક્તિ બાળકોના જેવો સરળ, છળકપટ વગરનો, પવિત્ર મનનો હોય છે. તેને દરેક પ્રત્યે મમતા, આત્મીયતા, દયા અને સહાનુભૂતિ હોય છે. તે કોઈનું ખરાબ નથી ઈચ્છતો કે નથી હોતી કોઈના પ્રત્યે ઈર્ષા. ઈશ્વર ઉપર વિશ્વાસ હોવાથી, તે ભવિષ્યના માટે આશાવાદી અને નિર્ભય હોય છે.

        ફળસ્વરૂપ અપ્રસન્નતા તેની પસે ફરકતી નથી અને આનંદ તથા ઉલ્લાસથી તેનું અંત:કરણ ભરેલું રહે છે. આ આનંદથી ભરેલી સ્થિતિ તેના મુખારવિંદ અને વાણી દ્વારા હંમેશા છલકાતી રહે છે. આપણે સૌએ આ પ્રયત્નમાં લાગી જવું જોઈએ.

સુવિચાર :-


જેણે દુ:ખ સહન કર્યું નથી તે સુખની મિઠાશ શું જાણે ?

જે રડયો નથી તેને હસવું પણ નહિ આવે. 

જેણે હારજીત જોઈ નથી તેને

પુરુષાર્થના મહત્વની જાણ કેવી રીતે થાય ? 

જેને શંકા કરતાં આવડયું નથી

તે સાચું ચિંતન નહિ કરી શકે. 

જે ઉપલબ્ધિઓથી ખુશ થાય છે અને

સહકાર માટે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું જાણતો નથી

 તેને આ સંસારમાં અભાવ અને દોષ દેખાશે નહિ.

————–

 

આજે અજ્ઞાનરૂપી વૃત્રાસુરથી આખો સમાજ છવાઈ ગયો છે. 

જેમને કાન છે તેઓ સમાજની પીડા અને

પતનની મર્મભેદી ચીસ સાંભળી શકે છે

તથા આંખો વડે જોઈ શકે છે. 

આ સમય મોજમજા કરવા માટે નથી. 

આપણે યુગસંધીના સમયમાં જીવીએ છીએ. 

અતિ નિકટના ભવિષ્યમાં સર્વનાશની ઉંડી ખીણમાં પડી જઈશું

અથવા ઉન્નતિના ઉચ્ચશિખરએ પહોંચી જઈશું.

 આજે દધીચિ જેવા આત્મદાનીઓની આવશ્યકતા છે. 

શરીરનો નાશ તો થવાનો છે,

પરંતુ આપણા લક્ષ્યને પૂર્ણ કરવામાં

તે ઉપ્યોગી થાય તો જ એની સાર્થકતા છે.

Categories: સુવિચાર

પૃથ્વી પરનું ગાયત્રી કલ્પવૃક્ષ :-

પૃથ્વી પર એવું કલ્પવૃક્ષ છે,

જેમાં દેવલોકના કલ્પવૃક્ષના જેવી જ સંભાવનાઓ છુપાયેલી છે. એનું નામ છે – ગાયત્રી.

ગાયત્રી મંત્રને સ્થુળ નજરે જોવામાં આવે તો તે 24 અક્ષરો અને નવ પદોની એક શબ્દશૃંખલા માત્ર છે. પરંતુ ગંભીરતાપૂર્વક એનું અવલોકન કરવામાં આવે તો એના પ્રત્યેક પદ અને અક્ષરમાં એવાં તત્વોનું રહસ્ય છુપાયેલું માલૂમ પડશે કે, જેનાથી કલ્પવૃક્ષની જેમ આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

‘ગાયત્રી કલ્પવૃક્ષ’ નું ચિત્રમાં

“ૐ ” ઈશ્વર તરફની આસ્તિકતા જ ભારતીય ધર્મનું મૂળ છે,

એમાંથી આગળ જતાં એના ત્રણ ભાગ થાય છે -

ભૂ : ભુવ: સ્વ: – ભૂ : નો અર્થ છે, આત્મ,

ભુવ: નો અર્થ છે – કર્મયોગ. સ્વ : નું તાત્પર્ય છે – સ્થિરતા – સમાધિ.

આ ત્રણ શાખાઓ માંથી ત્રણ ત્રણ ડાળીઓ નિકળે છે. એ દરેકનુ વિશેષ તાત્પર્ય છે. તત્ – જીવનવિજ્ઞાન. સવિતુ : – શક્તિસંચય. વરેણ્યં – શ્રેષ્ઠતા. ભર્ગો – નિર્મળતા. દેવસ્ય – દિવ્ય દ્રષ્ટિ. ધીમહિ – સદ્દ ગુણ. ધિયો – વિવેક, યોન :- સંયમ. પ્રચોદયાત્ – સેવા ॥

આ નવા ગુણો નિ:સંદેહ નવરત્ન છે. માણેક, મોતી, પરવાળુ, પાનુ6, પોખરાજ, હીરો, નીલમ, ગોમેદ, લસણિયો એ નવ રત્ન છે. જેની પાસે એ રત્ન હોય છે, તે સર્વ રીતે સુખી ગણાય છે. પરંતુ ભારતીય ધર્મશાસ્ત્ર કહે છે કે, જેની પાસે યજ્ઞોપવીત અને ગાયત્રી – મિશ્રિત ઉપરોકત આધ્યાત્મિક નવરત્નો છે તે આ ભૂતળ પરનો કુબેર છે. ભલેને તેની પાસે ધનદોલત, જરજમીન ન હોય. આ નવરત્ન મંડિત કલ્પવૃક્ષ જેની પાસે છે તે વિવેકયુકત, યજ્ઞોપવીતધારી સદા સુલોકની સમૃદ્ધિ ભોગવે છે. એને માતે આ ભૂલોક સ્વર્ગ છે. એ કલ્પવૃક્ષ આપણફે ચારે ફળ આપે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે સ્મૃદ્ધિઓથી આપણેને પરિપૂર્ણ કરી દે છે.