સુવિચાર :-
(આ સંકલિત વિચારો જીવનમાં અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.)
આજનું ચિંતન :
ભાગ્ય વિશેની સચોટ વાત
એક જ છે કે
તે મનુષ્યના પ્રયાસોને
અનુરૂપ બદલાતું રહે છે.
—————-
મનુષ્ય પોતે જ પોતાના માટે તકલીફો પેદા કરે છે.
જો તે તેની ચાલ બદલી નાખે તો
બધી સમસ્યાઓ ઉકેલવામાં
પોતે સક્ષમ થઈ શકે છે.
—————-
બીજાના અધિકારો છીનવી લેતી શક્તિ
ચિરસ્થાયી હોતી નથી કે શાંતિ આપતી નથી.
શક્તિ તેને કહે છે,
જે પોતે વધે અને બીજાઓને આગળ વધારે.
—————-
એકલવાયા રહેશો નહિ,
નહિ તો અશકત રહેશો.
હળીમળીને રહેનારાઓ તણખલામાંથી
હાથીને બાંધી શકે એવા દોરડા સમાન બને છે.
—————-










RSS - Posts
પ્રતિભાવો