Archive

Archive for October 5, 2008

સુવિચાર :-

આજનું ચિંતન  :

સંસારમાં ત્રણ સન્માન સૌથી મોટાં છે,

   સંત,

      સુધારક,

   શહિદ

—————-

 

જો બીજા કોઈને રોકી ન શકો

તો કમ સે કમ

પોતાની જીભ પર અંકુશ રાખો,

જેથી તે કટુવચન કહેવાની ઉદ્દંડતા કરી ન શકે.

—————-

જે માત્ર પોતાના અનુભવોને

પ્રાથમિકતા આપે છે અને

તેમને જ સર્વસ્વ માને છે તે મૂર્ખતા કરે છે. 

જે બીજાના અનુભવોનો લાભ લે તે બુદ્ધિશાળી છે અને

જે પોતાના કે બીજાના કોઈના અનુભવોનો

લાભ ન ઉઠાવે તેને માત્ર પશુ જ કહેવામાં આવશે.

 

સંકલિત વિચારો  જીવનમાં  અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.

Categories: સુવિચાર