Archive

Archive for October 7, 2008

સુવિચાર :-

આજનું ચિંતન :


માનવીના હ્રદયથી મોટું બીજું કોઈ તીર્થ નથી.

એમાં જ ભગવાન વસે છે

અને ત્યાં સુધી પહોંચનારને દર્શન આપ્યા

વિના પાછો જવા દેતા નથી.

———

હસવાની કળા અડધો ભાર હળવો કરી નાખે છે.
——–

 

ભાગ્ય વિશે એક જ સચોટ બાબત છે કે

તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે.

———

મુશ્કેલીઓથી બચીને આદર્શો છોડવામાં

નથી બહાદુરી કે નથી બુદ્ધિમત્તા.

આ તો કાયરતા અને નાદાની છે.

તકલીફોમાં પડયા પડયા રહેવું એ

તો એથીય વધારે ખરાબ છે.

એમની સાથે સંઘર્ષ કરવામાં જ ભલાઈ છે.
———

Categories: સુવિચાર

જ્ઞાન જ્યોત

આજનું ચિંતન

કોઈનીય સાથે દગો કરવો જોઈએ નહી,

પરંતુ કોઈ દગો કરી જાય એ કેમ ચલાવી લેવાય?

આપણે દરેક ઉપર વિશ્વાસ રાખવો જોઈએ,

પરંતુ સાથેસાથે તીક્ષ્ણ નજરથી જોવું જોઈએ કે

કોઈ આપણા વિશ્વાસનો ગેરલાભ તો ઉઠાવતું નથી ને?

Categories: સુવિચાર