સુવિચાર :-
આજનું ચિંતન :
પેટ ભરવા માટે પોતાનું જ મોઢું ચલાવવું પડે છે.
ભણવા માટે પોતાની જ બુદ્ધિ કામ આવે છે.
બીજાના મુખ દ્વારા કોઈનું પેટ કદી ભરાયું છે?
બીજાની બુદ્ધિથી કોણ વિદ્વાન બન્યું છે?
આત્મિક પ્રગતિની આકાંક્ષા પણ
પોતાના જ સાધનાત્મક પુરુષાર્થથી પૂર્ણ થાય છે.
———–
ભકત એ નથી,
જે ભગવાનના નામનું રટણ કરતો રહે છે,
પરંતુ તે છે જે એની પ્રજાને
સુખી અને સમૃદ્ધ બનાવવા માટે
પોતાની સગવડોનો ત્યાગ કરે છે.
——
પરમાર્થ કરો અને તેને કૂવામાં નાખો.
ઉપકારોનો ઢંઢેરો પીટશો નહિ.
પરમાર્થનું પરિણામ
ભલે બિલાડીના ટોપની જેમ ન ઊગે,
પરંતુ તેનાં મૂળ ધરોની જેમ સદા સજીવ રહે છે.










RSS - Posts
પ્રતિભાવો