જ્ઞાનયજ્ઞની હજુ શરૂઆત છે. એમાંથી અગ્નિની જ્વાળાઓ ફૂટી રહી છે. હજુ એને એવા પ્રચંડ વિશ્વવ્યાપી દાવાનળનું સ્વરૂપ આપવાનું છે કે જેની આગમાં માનવસમાજનાં બધાં પાપો બળી જાય અને લોકો શુદ્ધ સોના જેવા ક્રાંતિવાન બનીને વિશ્વકલ્યાણનો નવો સૂત્રપાત કરી શકે. આ બધું કુતૂહલવર્ધક પ્રચારકાર્ય નથી, પરંતુ મનોભૂમિનું પરિવર્તન છે. તે લોકોને માત્ર માર્ગદર્શન જ નહિ આપે, પરંતુ તેમના જીવનની દિશા અને કાર્યપદ્ધતિને જ બદલી નાખશે. આજે જે લોકો નકામા તથા ભારરૂપ લાગે છે તેઓ જ કાલે એકએકથી ચડિયાતી મહત્વપૂર્ણ ભૂમિકાઓ રજૂ કરશે. આપણા જ્ઞાનયજ્ઞનો પ્રભાવ આવો હશે. આ માત્ર કલ્પના નથી, પરંતુ સચ્ચાઈ છે. થોડાક વર્ષોમાં જ લોકો તેમને પોતાની આંખોથી મૂર્તિમંત થયેલી જોઈ શકશે.






