Archive

Archive for October 12, 2008

પરિવર્તનની સચ્ચાઈ

      

              પરિવર્તન અનાયસે જ એની મેળે થઈ જવાનું નથી.  જાદુઈ લાકડી ફેરવીને કોઈ સંત, દેવદૂત કે અવતાર આ બધું નહિ કરી જાય.  તેને માટે કરોડો લોકોએ કઠોર પ્રયત્નો કરવા પડશે અને દરેક જાગૃત આત્માએ મુશ્કેલીઓની સામે ઝઝુમવા માટે રીંછ, વાનરોની જેમ સાહસિક બનવું પડશે.  આ મહાઅભિયાનનું નેતૃત્વ લેવા માટે મહાન ભાગ્યશાળીઓની આજે અત્યંત આવશ્યકતા છે કે જેઓ ઈશ્વરીય ઈચ્છા, યુગની  આવશ્યકતા અને વિશ્વનાં સુખશાંતિને માટે પોતાના તુચ્છ સ્વાર્થોનું  બલિદાન આપીને નવનિર્માણની ઐતિહાસિક ભૂમિકા નિભાવીને પોતાને ધન્ય બનાવી શકે.

સુવિચાર


આજનું ચિંતન

 

કુપાત્રને નહિ આપું એમ કહેશો નહિ.

તમારા બગીચાનાં ફૂલ આવો ભેદભાવ કરતાં નથી

અને ઘાસના મેદાનો પણ ગાયોને આવી મનાઈ કરતાં નથી.

હવા અને સૂર્ય તમને અનુદાન આપતી

વખતે ક્યાં પરીક્ષા લે છે ?

પછી તમે આટલી ઊંડી તપાસ શા માટે કરવા લાગ્યા ?

 

 

મેઘગર્જનાને બધા જુએ છે અને ગડગડાટ સાંભળે છે,

પરંતુ વિરલા જ એ જાણે છે કે

એની પાછળ વિજળીની શક્તિ કામ કરે છે.

નજરે દેખાતાં કાર્યોની પાછળ અદ્રશ્ય ઉમંગની ભૂમિકા રહે છે.

 

 

પરિસ્થિતિઓ કોઈને મજબૂત કે કમજોર બનાવતી નથી,

પરંતુ એ તો માત્ર એ સિદ્ધ કરે છે કે

વાસ્તવમાં તે કેવો હતો?

સન્માનની મૂડી આપવાથી પછી મળે છે,

વહેંચવાથી વધે છે અને

ભેગી કરવાથી ખતમ થઈ જાય છે.

Categories: સુવિચાર

જ્ઞાન જ્યોત

આજનું ચિંતન

મનુષ્ય ભૂલો થી ભરેલો છે.

દરેકમાં કોઈક દોષ તો હોય જ છે,

તેથી બીજાના દોષો તરફ ધ્યાન ન આપતાં

તેમના ગુણો ને ઓળવવા જોઈએ અને પરસ્પર હળી મળીને

એકબીજાને પ્રેમપૂર્વક

સુધારતાં સુધારતાં આગળ વધવું જોઈએ.

Categories: સુવિચાર