Archive

Archive for October 16, 2008

આંતરિક મહાભારતને જીતો :

આંતરિક મહાભારતને જીતો   : 

      

              જેના જીવનમાં લોભ, મોહ, અહંકાર, અપવ્યય, આળસ, ક્ટુવાણી, શિસ્તનું ઉલ્લંઘન જેવી અનેક બુરાઈઓ ઘૂસી ગઈ છે, એના કારણે એની પ્રગતિનો માર્ગ રોકાઈ જાય છે.  તેથી આત્મસુધાર માટે આપણા પૂર્વગ્રહો સાથે પણ સંઘર્ષ કરવાની જરૂર છે.  બધી શક્તિ સ્વાર્થ સાધવામાં જ ખર્ચી નાખવી, લોકમંગલ માટે સમયદાન અને અંશદાન આપવાના કર્તવ્યપાલનમાં બહાનાં બતાવતા રહેવું એ પણ કમનસીબી છે.  તેને ગમે તે ભોગે પણ દૂર કરવી જોઈએ.  પૂરેપૂરી શક્તિથી લડતા અર્જુનની જેમ આપણે પણ આંતરિક મહાભારતને જીતવા માટે કમર કસવી જોઈએ.

સુવિચાર :-

અનુમાન અને શંકા માત્રથી

કોઈને ગુનેગાર સાબિત કરશો નહિ. 

જેના પર શંકા હોય તેને

પોતાની વાત રજૂ કરવાનો અવસર આપો. 

તથ્યની પૂરી તપાસ કરતાં

પહેલાં કોઈના પર દોષારોપણ કરશો નહિ.

                                                                                        

 

સાધના માટે કોઈ જુદા સ્થળની શોધ કરશો નહિ.

પોતાની જવાબદારીઓ તથા સંબધીઓ સાથે

એવો સમન્વય સાધો કે જેમાં આદર્શોની અધિકતા હોય. 

આ રીતે તમારું વ્યાવહારિક જીવન જ

 સમગ્ર સાધના બની જશે.

 

 

ગાંધીજી કહેતા હતા કે

જ્યારે જનતા અનુભવવા લાગે કે

તે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકે છે

તથા પોતાનું ભાગ્ય પોતાના હાથે બનાવી શકે છે

ત્યારે સમજવું જોઈએ કે

       સંપૂર્ણ સ્વરાજય મળી ગયું.     

Categories: સુવિચાર