Archive

Archive for October 21, 2008

ગાયત્રી જ કામઘેનું છે.

ગાયત્રી કામઘેનું છે.

પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્વર્ગલોકમાં દેવતાઓની પાસે એક કામધેનું નામની ગાય છે, જે અમૃત સમાન દૂધ આપે છે. તે પીને દેવતાઓ હંમેશા સંતુષ્ટ અને સુસંપન્ન રહે છે. આ ગાયમાં એક એવી વિશેષતા છે કે તેની પાસે કોઈ પોતાની કામનાઓ લઈને જાય તો તેની ઈચ્છાઓ તરત જ પૂરી થઈ જાય છે. આ કામધેનું ગાય વાસ્તવમાં ગાયત્રી જ છે. આ મહાશક્તિની જે દેવતાઓ, દિવ્ય સ્વભાવવાળા મનુષ્યો ઉપાસના કરે છે, તેઓ માતાના સ્તનપાન સમાન આધ્યાત્મિક દુગ્ધધારાનું પાન કરે છે. તેમને કોઈ પણ પ્રકારનું કષ્ટ રહેતું નથી. આત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે. આનંદમગ્ન રહેવું એ તેનો મુખ્ય ગુણ છે. દુ:ખો દૂર થતાં જ તે પોતાના મૂળ સ્વભાવમાં પહોંચી જાય છે. દેવતાઓ સ્વર્ગમાં કાયમ આનંદિત રહે છે. એવી જ રીતે મનુષ્યનાં કષ્ટોનું નિવારણ થઈ જાય, તો તે પણ આ ધરતી પર સદા આનંદિત રહી શકે છે. કામધેનુ ગાયત્રી મનુષ્યનાં તમામ કષ્ટોનું સમાધાન કરી દે છે.