નિર્મળ અને નિર્વિકાર જીવન
નિર્મળ અને નિર્વિકાર જીવન
પ્રસન્નતાનો વાસ્તવિક અર્થ છે નિર્મળતા અને નિર્વિકારતા. જે હૃદય નિર્મળ છે, નિર્વિકાર છે તે જ પ્રસન્ન છે અને જે પ્રસન્ન છે તે જ સદા સુખી છે, ૫રંતુ જીવનમાં સુખશાતિ ટકાવી રાખવા માટે મનુષ્યે પોતાના હૃદયને સદા નિર્મળ અને નિર્વિકાર જ રાખવું જોઈએ.
ઈર્ષા-દ્રેષ, છળક૫ટ, કામ, ક્રોધ વગેરે વિકારો મનનો મેલ છે, એમને દૂર કરવાથી મનુષ્યનું હૃદય નિર્મળ બની જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વિકારોને દૂર કરવા માટે વિચારરૂપી બળનું અવલંબન લેવું ૫ડશે. પોતાના વિચારોને ઉચ્ચ બનાવો. તે માટે સત્સંગ તથા સત્કર્મોનો સહયોગ લો. કુવિચારો પેદા કરતા વાતાવરણથી દૂર રહો. લોભ જાગતાં જ ત્યાગ કરો, દાન આપો. ક્રોધ આવતાં કરુણાજનક પ્રસંગો વાંચો. કામવેશના સમયે અનાસક્તિ (નિર્વેદ) ની મદદ લો અને મોહથી બચવા માટે ઈશ્વરચિંતન કરો. નિરંતર આ પ્રકારનો કાર્યક્રમ ચાલુ રાખવાથી થોડાક જ સમયમાં તમારું હૃદય નિર્મળ બનવા લાગશે. નિર્મળતાનો પ્રસન્નતાનો થોડોક આભાસ મળતાં જ મન પુનઃ પોતાની શુદ્ધિ કરવામાં તત્પર બની જશે. ૫રિસ્થિતિનો ઉકેલ લાવવા અને પ્રતિકુળતાઓ સાથે લડવા માટે મનોબળની ખૂબ આવશ્યકતા હોય છે. મનોબળનો વિકાસ કેવળ પ્રસન્નતાથી જ થઈ શકે છે.
===================================================
અખંડજયોતિ, એપ્રિલ-૧૯૬૬ , પેજ-૯-૧૦










RSS - Posts
પ્રતિભાવો