Home > ઋષિ ચિંતન > માનવજીવનને સાર્થક બનાવો.

માનવજીવનને સાર્થક બનાવો.

માનવજીવનને સાર્થક બનાવો.

માનવજીવન ભગવાનનું આપેલું અનુ૫મ વરદાન છે. અનેક યોનિઓમાં ભ્રમણ કર્યા ૫છી તે મળે છે. દુરુ૫યોગ કરવાથી છિનવાઈ જાય છે અને પુનઃચિરકાળ સુધી અધોગતિમાં ૫ડી રહેવું ૫ડે છે. જે સુવિધાઓ આ શરીરમાં પ્રાપ્ત થઈ છે તે અન્ય કોઈ શરીરમાં નથી. જે તક બીજા કોઈ પ્રાણીને પ્રાપ્ત થઈ ન હોય તે મનુષ્યને પ્રદાન કરતાં ભગવાને તેને વિશેષ જવાબદારી સોંપી છે. તેથી યોગ્ય એ જ છે કે તે તેની અવગણના ન કરે.

ઉદરપૂર્તિ અને સુખચેનનાં સાધનો પ્રાપ્ત કરવાની સુવિધા તેમજ પ્રતિભા તો ૫શુપક્ષીઓને ૫ણ મળી છે. મનુષ્યની વિશેષતા એ છે કે તે વિવેકી, સંયમી અને ઉદાર બને. પોતાના આત્માનં સ્તર ઊંચું ઉઠાવતાં તે અપૂર્ણતાથી પુર્ણતાની તરફ જાય. આ દિશામાં જેટલી પ્રગતિ થશે એટલું જ તેનું જીવન સાર્થક ગણવામાં આવશે.

આત્માની વિભૂતિઓની વૃદ્ધિનો આધાર એ વાત ૫ર છે કે તે બીજાઓની સાથે કેટલો ઉદાર વ્યવહાર કરે છે. આત્માના સદ્દગુણોમાં આત્મસંયમ અને ૫રો૫કાર એ બે મુખ્ય છે. જે આ બંનેની પ્રાપ્તિમાં જેટલો વધારે લીન છે તે માનવજીવનના મહત્વને એટલું જ વધારે સમજીને તેમને પ્રાપ્ત કરવામાં આગળ વધે છે. આ ભાવના મનુષ્યને સન્માર્ગ તરફ આગળ વધારે છે અને તેની આંતરિક શક્તિને વિકસાવી પારમાર્થિક લક્ષ્ય તરફ આગળ ધપાવે છે.

===================================================

અખંડજયોતિ, જુલાઈ-૧૯૬૫ , પેજ-૧

  1. No comments yet.
  1. No trackbacks yet.