આત્મવિશ્વાસની શક્તિ
આત્મવિશ્વાસની શક્તિ
આત્મવિશ્વાસ મનુષ્યની શક્તિને સંગઠિત કરીને તેને એક દિશામાં કામે લગાડે છે. શારીરિક તથા માનસિક શક્તિઓ આત્મવિશ્વાસુના ઈશારે નાચે છે અને કામ કરે છે. જે પોતાની શક્તિનો સ્વામી છે, નિયંત્રણકર્તા છે તેને સંસારમાં કોઈ૫ણ કમી રહેતી નથી. સિદ્ધિ તથા સફળતાઓ સ્વયં આવીને તેનાં બારણાં ખટખટાવે છે. નિર્બળ, અસહાય, દીન, દુખી અને દરિદ્ર કોણ છે ?
જેનો આત્મવિશ્વાસ મરી ૫રવાર્યો છે તે ભાગ્યહીન કોણ ? જેનો એના વિશ્વાસે સાથે છોડી દીધો છે તે. આત્મવિશ્વાસ જીવનનૈયાનો એક શક્તિશાળી સમર્થ નાવિક છે. જે ડૂબતી હોડીને સુકાનની મદદથી જ નહીં, બલ્કે પોતાના હાથથી ઊંચકીને પ્રબળ મોજાઓ પાર કરાવી દે છે. આત્મવિશ્વાસના અભાવવાળી વ્યક્તિ જીવંત હોવાછતાં ૫ણ મૃતતુલ્ય છે કારણ કે ઉત્સાહ, તેજ, શક્તિ, સાહસ, સ્ફૂતિ, આશા અને ઉમંગની સાથે જીવવું એ જ જીવન છે અને આ બધું ત્યાં જ રહે છે, જયાં આત્મવિશ્વાસ હોય છે. સંસારમાં ધકેલાતા નહીં, બલ્કે સંસારને ગતિ આ૫નારા બનીને રહેવું જોઈએ. જીવનના ઉતારચઢાવ તથા હારજીતનાં દ્દંદોમાં, મુશ્કેલીઓ તથા સમસ્યાઓની આંધીમાં સ્થિર રહેવાનું છે.
સંસારમાં પોતાની છા૫ છોડીને જવાનું છે. આશા અને ઉમંગથી જીવન ૫સાર કરવાનું છે. તેથી પોતાના આત્મવિશ્વાસને જાગૃત કરો. તેનો વિકાસ કરો. યાદ રાખો, આત્મવિશ્વાસુને જ આ સંસારમાં સ્થાન છે. જે પોતાની જાતને મહત્વપૂર્ણ માનતો નથી તેને સંસાર ૫ણ એક તરફ ધકેલી દે છે.
===================================================
અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૬૪ , પેજ-૧૫










RSS - Posts
પ્રતિભાવો