બ્લોગનો ઉદેશ્ય
બ્લોગનો ઉદેશ્ય
“ ગાયત્રી જ્ઞાન મંદિર- જેતપુર” આ બ્લોગમાં શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આર્ધસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દ્ર્ષ્ટા પં. શ્રીરામ શર્મા આચાર્યના વિશાલ “વિચારક્રાંતિ“ના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલા કેટલાક અમૃત બિંદુઓને આ બ્લોગમાં પ્રત્યેક વિચાર પોતાની રીતે સ્વતંત્ર અને પૂર્ણ છે.
ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે. યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.
આ બ્લોગમાં ગુજરાતીમાં અલભ્ય સત્ વિચારો સંકલીત કરીને મુકવાનો પ્રયત્ન કર્યો છે. તેમાંથી જન જનને વૈવિધ્ય્પુર્ણ જાણકારી મળશે, આજે જે દુ:ખ ચારે બાજુ વ્યાપેલું છે, બેચેની છે, તનાવ છે, તેનું મુળ કારણ છે, ‘અજ્ઞાન‘ તે અજ્ઞાનને હટાવીને સદ્જ્ઞાનની સ્થાપના કરવી, ભ્રમમાંથી ઉગારીને વિવેકને પ્રતિષ્ઠિત કરવો જ
આ બ્લોકનો ઉદેશ્ય છે. આ બ્લોગ આપને કેવો લાગ્યો તે અવશ્ય જણાવશો. આપના અમુલ્ય અભિપ્રાયો સદા આવકાર્ય રહેશે
શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ, શાન્તિકુંજ, હરિદ્વાર
આદરણીય દીદી શૈલબાળા પંડયાનો આશિર્વાદ પત્ર :
પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે
“ગાયત્રી જ્ઞાનયજ્ઞ”ની આજે તા. ૨૭ – ૦૬ – ’૦૯ના રોજ ૫હેલી વર્ષગાંઠ હતી,
ગુજરાતી બ્લોગજગત સમક્ષ શ્રી ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુર ઘ્વારા ‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ આરંભાયો તેમાં અમૃતરૂપ વિચારોને એક જ વર્ષના ટુંકા ગાળામાં કુલ 675 પોસ્ટથી આ૫ના સુધી ૫હોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. Continue reading »
બીજા વર્ષમાં મંગલપ્રવેશ :
ગાયત્રી જ્ઞાનમંદિર – જેતપુર ઘ્વારા ‘જ્ઞાનયજ્ઞ’માં પ્રથમ વર્ષ દરમિયાન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે “ગાયત્રી જ્ઞાન યજ્ઞ” દ્વારા ગુજરાતી વેબજગતને અર્પણ કરવામાં આવ્યું હતું….. Continue reading »
ગાયત્રી જ્ઞાન મંદીર – જેતપુર
સંકલન : કાંતિલાલ જી. કરશાળા.
Email : karshalakg@gmail.com.










RSS - Posts
great info.about Gayatri Mandir.. we may visit when we visit our motherland for sure..
Thanks.
bahu sarase
ઓ પ્રિયતમ ! હું અક્ષર વડે અ ક્ષર ને શબદાંજલી આપું છુ. હું તારી જ સ્તુતિ કરું છું…તને તે પહોંચે છે? મારાં ઋદય દ્વારા થતો દંદુભિનાદ તને સંભળાય છે? કે પછી માંરી આંખમાંથી સરતાં અશ્રુઓની આરતી ઉતારીને તને જ હું ઝંખુ છું તેની તને ખબર છે?
http://paresh08.blogspot.com/
Jay Gurudev
Here in title filed you have done one mistake.
And that is બ્લોકનો ઉદેશ્ય ……..
So please change it in to બ્લોગનો ઉદેશ્ય .
DIVYESH PATEL
http://www.krutarth.co.cc
http://www.divyeshsanghani.co.cc
http://www.dreams-of-world.co.cc